મગફળી :
મગફળી પાકમાં મોલો-મશી, લીલી પોપટી તેમજ થ્રીપ્સના જીવાતનું અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ
• ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/ કિલો બીજ અથવા
• થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુ એસ ૧ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે બીજ માવજત
• ડાયમિથોએટ ૩૦ ઈસી ર મિ.લિ. પ્રતિ લિટર અથવા
• પ્રોફેનોફોસ ૪૦ ટકા, સાયપરમેથ્રીન ૪ ટકા ૦.૦૪૪ ટકા (પોલીટ્રીન-૧૦ મિ.લિ./૧૦ લિ.) અથવા
• થાયોમિથોક્ષામ રપ ડબલ્યુ જી ૦.૦૦૬ ટકા (ર.૪ મિ.લિ./૧૦ લિ.) અથવા
• ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ એલ ૦.૦૦પ ટકા (ર.૮ મિ.લિ./૧૦ લિ.) અથવા
• મિથાઈલ- ઓ- ડિમેટોન રપ ઇસી ૦.૦રપ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિ.)
• પાણીમાં ભેળવી વાવેતર પછી ૧પ અને ૩૦ દિવસના અંતરે બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. મગફળીના છોડ લોહ તત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીંબુના ફૂલનું દ્રાવણ
• મગફળીના થડ અને ડોડવાના સડાનાં અસરકારક નિયંત્રણ માટે ને ૧૨૫ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.
લશ્કરી ઈયળ (પ્રોડેનીયા) મિથોમાઈલ ૦.૦પ% (૧ર.પ ગ્રામ) અથવા કલોરપાયરીફોસ ૦.૦પ% (રપ મિ.લિ. ) અથવા ડાયકલોરવોશ ૦.૦પ% (પ મિ.લિ.) અથવા કવીનાલફોસ ૦.૦પ% (ર૦ મિ.લિ. ) અથવા એન્ડોસલ્ફાન ૦.૦૭% (ર૦ મિ.લિ.), ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી હેકટરે રપ કિલો પ્રમાણે છાંટવી. પુખ્ત ઉંમરની ઈયળ દિવસ દરમ્યાન જમીનમાં સંતાઈને રહેતી હોય, તેના નિયંત્રણ માટે ૧૦ કિલો ઘઉં કે ચોખાના ભુસા સાથે લોરપાયરીફોસ ર૦ ટકા ઈસી પ૦૦ મિ.લિ. દવા અથવા રપ૦ ગ્રામ મિથોમાઈલ અથવા પ૦૦ ગ્રામ કાર્બાંરીલ અને ર કિલો ગોળની રબડી ભેળવી ઝેરી પ્રલોભીકા બનાવી છોડના થડ પાસે છાંટવી.
કપાસ : • ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે કપાસ જ્યારે ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે પ્રથમ ડોઝ કેમિકલ દવાને બદલે જૈવિક દવા જેવી કે બીવેરીયા બાઝીયાના ૧૦૦ ગ્રામ /પંપ અથવા એક્ઝામેક્ટીન ૧૫૦૦ પીપીએમ ૬૦ ml /પંપ નાખી છંટકાવ કરવો • પાક ૨૦-૨૫ દિવસનો થાય ત્યારે એન્ટોમોપેથોઝીનીક નેમેટોડ (EPN) એકર દીઠ ૧ kg  નું પંપમાં નાખી ડ્રેન્સિંગ કરવાથી ગુલાબી સિવાય અન્ય ઈયળનો પણ નાશ થાય છે.
• થ્રીપ્સ, સફેદમાખી, તડતડીયાનાં નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બ્યુવેરીયાબાસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા
• સફેદમાખી અને થ્રીપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• તીતીઘોડોનાં નિયંત્રણ માટે સાયપરમેથીન ૧૦ ટકા શેઠા પાળા પર છંટકાવ કરવો અથવા ક્લોરપાઈરીફોસ ૪ લિટર રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટરમાં ઉભા પાકમાં પૂંકી દેવું.
કપાસના પાકમાંથી રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો ઃ આ ચુસીયા પ્રકારની જીવાતો પાનની નીચેની સપાટીએ રહીને પાનમાંથી રસ ચૂસીને નભે છે. પરિણામે છોડની વૃધ્ધિ પર અસર થાય છે અને ફૂલ, કળી અને જીંડવા પૂરતા પ્રમાણમાં બેસતા નથી, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
બાજરીઃ
• બાજરામાં ૮૦-૪૦-૦ ના.ફો.પો. તથા ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ૨૦ કિલો/હે. આપવું.
• બિયારણનો દર ૫ કિ.ગ્રા./હે પ્રમાણે રાખવો. પારવણી કરવી અને ખાલા પુરવા.
અડદઃ
• ચણા-મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ – સુકારા માટે ટ્રાઈકોર્ડમા વીરીડી અથવા ટ્રાઈકોર્ડમા હરજીયાનમનો ઉપયોગ કરો
ભૂકીછારો : • કોઈપણ પાકમાં આ રોગમાં પાનની સપાટી પર સફેદ પાવડર છાંટ્યો હોય તેમ અનિયમિત આકારના ધબ્બા જોવા મળે છે. ભૂકીછારા રોગના ચિહ્‌નો જોવા મળે કે તુરત જ વેટેબલ સલ્ફર પ૦ ટકા (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ડીનોકેપ ૪૮ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ટાઈડેમોર્ફ ૮૦ ઈ.સી. (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વેટેબલ પાવડર (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનાઝોલ પ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી)નો જરૂર મુજબ છંટકાવ કરવો.
બાગાયતઃ કેળઃ
• ભલામણ જાતોઃ ગ્રાન્ડ નાઈન, બરસાઈ, શ્રોમંતિ, લોખંડી, રોબસ્ટા વગેરે અને વાવેતર સમયઃ ૧૫ જૂન થી ૧૫ ઓગસ્ટ
• અંતરઃ ૧.૮ ટ ૧.૮ મી. અથવા ૧ ટ ૧.૨ ટ ૨.૦ મી.ની જોડીયા હારમાં કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઇ શકાય
• કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મી કમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું.
• ફળ પાકો ઉમરમાં નાના હોય ત્યારે ખરીફ તેમજ રવી ઋતુ શાકભાજી જેવા આંતરપાકો લઈ વધારાની આવક મેળવવી.
જામફળ :-
• જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.
(આંબા) આંબાની ડાળીઓના રોગ :
કાળી ડાળીનો રોગ / શ્યામ પ્રકાંડ :-
• ફૂગથી થતો આ રોગ શરૂઆતમાં કુમળી ડાળીઓ પર અને ત્યારબાદ પરીપકવ ડાળી પર જોવા મળે છે. શરૂઆતમાં ડાળીની ફરતે સફેદ ફૂગનું આવરણ જોવા મળે છે જે સમય જતાં સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે. ડાળીઓના જોડાણના ભાગે વધુ સ્પષ્ટ રીતે આ ચિહ્‌નો જોવા મળે છે. પાનની નીચેની બાજુએ મધ્ય શિરા પર પણ આ રોગ જોવા મળે છે. રોગની વધુ તીવ્રતાથી ઝાડની કુમળી ડાળીઓ સુકાઈ જાય છે. જાડી ડાળીઓ ઉપર આવું કાળું આવરણ આખું વર્ષ જોવા મળે છે. ધનિષ્ઠ રોપણી પધ્ધતિથી કરવામાં આવેલ આંબાવાડિયામાં સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય તેવા ઝાડમાં, લંગડા જેવા ઘટાદાર ઝાડમાં, નિચાણવાળા નદીકાંઠાના વિસ્તારની વાડીઓમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચોમાસામાં જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમ્યાન આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.
નિયંત્રણ :-
• આબાંના થડ અને ડાળીઓ ઉપરનાં કાળા ટપકાંઓ કાથી વડે ઘસી નાખીને બોર્ડો પેસ્ટ (૧ કિ.ગ્રા. મોરથુથુ + ૧ કિ.ગ્રા. કળી ચૂનો + ૧૦ લિટર પાણી ) અથવા બોર્ડો મિશ્રણ ૧% (મોરથુથુ ૧૦૦ ગ્રામ + કળી ચૂનો ૧૦૦ ગ્રામ + ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો.
• કોપર ઓકઝીકલોરાઈડ પ૦% વે.પા. (૪૦ ગ્રામ / ૧૦ લિટર પાણી ) અથવા કાર્બેન્ડેઝીમ પ૦% વે.પા. (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી ) નો છંટકાવ કરવો. આબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની ડાળીઓ દુર કરો. ૩ વર્ષમાં કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.
કેળ – પૈપૈયા :-
• કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પદ્ધતિથી વાવેતર કરો.
પપૈયાઃ
• પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ
છોડ દિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું.
પશુપાલનઃ
• મે માસમાં બાકી રહેલ જાનવરોમાં ગળસુંઢા તથા ગાંઠીયા તાવનું રસીકરણ કરાવી લેવું.
• ખરવા – મોવાસાની દર છ માસે આપવાની થતી રસી અપાવવી.
• જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા. જેથી ગરમીના સમયે આરામદમયક રોગ માટેની વધારાની રસી મુકાવવી.
પશુપાલનમાં ચાફ કટરની અગત્યતા
• પશુઓના નિભાવ માટે આપણે ત્યાં ખેતીની આડ પેદાશો જેવી કે, બાજરી, જુવાર, ડાંગર મકાઈના પૂળા તેમજ ઘઉંનું ભૂસુ, મગફળી તથા ચણા જેવા કઠોળ પાકોનું ગોતર વગેરેનો ઉપયોગ થાય છે.
• ઉનાળાની ઋતુમાં લીલા ચારાની ઘણી અછત હોય છે. તે ઉપરાંત સુકા ચારાના ભાવ પણ આસામને પહોંચે છે. આવી પરિસ્થિતિમાં પશુઓ દ્વારા થતો ચારાનો બગાડ આપણને પરવડે તેમ નથી. ઉપરોક્ત સમસ્યાઓના ઉકેલ માટે આર્થિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સરળ ભૌતિક પદ્ધત્તિ ચાફ કટર છે.
• ચાફ કટર અપનાવવાથી પશુ ઉત્પાદન, નિભાવ તેમજ ઉછેર સરળ બની શકે છે અને ખર્ચમાં પણ ૨૫ – ૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.