ખાતરઃ મધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરિયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે આપવું.
• ખેતીપાકોમાં ઉધઈનું નિયંત્રણ –
૧. ઉપદ્રવ વધુ રહેતો હોય તેવા ખેતરોમાં લીલા પડવાસના પાકો લેવા નહિ તેમજ કાચુ દેશી ખાતર વાપરવુ નહિ. કાપણી બાદ પાકના જડીયાનો તુરંત સંપૂર્ણપણે નિકાલ કરવો.
ર. ઉપદ્રવીત ખેતરમાં કવીનાલફોસ ૧.પ ટકા ભૂકી હેકટર દિઠ રપ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણમાં પાક વાવતા પહેલા જમીનમાં ભેળવી દેવી.
૩. દવા આપવાની કાર્યવાહી થઈ શકી ન હોય અને ઉધઈનો ઉપદ્રવ જોવા મળે તો પાકમાં ખાતર તરીકે દિવેલી, લીંબોળી કે કણજીનાં ખોળનો ઉપયોગ કરવો.
૪.ઘઉંના બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દિઠ ૪.પ મિ.લિ. કલોરપારીફોસ દવાનો પટ આપીને વાવેતર કરવું.
પ.શેરડીનાં વાવેતર માટેનાં ટુકડાઓને મેલાથીયોન ૧% અથવા કલોરપાયરીફોસ ૦.૧% ના દ્રાવણમાં ૧૦ મિનિટ બોળી રાખ્યા બાદ વાવેતરના ઉપયોગમાં લેવા.
૬. મગફળીના બીજને કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ૧ર.પ મિ.લિ. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ મુજબ માવજત આપી વાવેતર કરવું.
૭. ઉભા પાકમાં શકય હોય ત્યાં સુધી પિયત આપવાનું મોડું કરવુ નહી અને છતાં પણ ઉધઈનો ઉપદ્રવ વધુ જણાય તો પિયતના પાણી સાથે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ર.પ લિટર પ્રતિ હેકટર પ્રમાણે આપવું.

ફળ-ઝાડના રોપા/ કલમ વાવતા પહેલા જમીનમાં બનાવેલા ખાડાઓમાં કલોરપાયરીફોસ ૦.૧% નુ દ્રાવણ ખાડા દિઠ ૧ લિટર પ્રમાણે ભેળવવું. આવુ મિશ્રણ કલમના સાંધા પર પણ રેડવું. વધારે ઉપદ્રવ વાળી જમીનમાં ખાડા પુરતી વખતે ખાતર માટીના મિશ્રણ સાથે ખાડાના માપ પ્રમાણે ૧૦૦ થી રપ૦ ગ્રામ કવીનાલફોસ ૧.પ % ભૂકી ભેળવવી. વેલાવાળા પાક માટે માંડવા બનાવવાના લાકડાનાં થાંભલાનો જમીનમાં રોપવાનો ભાગ ઉપરોકત દવાના મિશ્રણમાં બોળીને ઉપયોગ કરવો.
આંબા, ચીકુ, નીલગીરી વગેરેના ઝાડમાં ઉધઈનો ઉપદ્રવ જોવા મળે તો રોપાની ફરતે લોખંડના સળીયા વડે ૮ થી ૧૦ ઈચ ઊંડા પ થી ૬ કાણાં જમીનમાં પાડી તેમાં કલોરપાયરીફોસ ૦.૧ % નું પ્રવાહી મિશ્રણ રેડવાથી ઉધઈનો ઉપદ્રવ રોકી શકાય છે.
કપાસ: મેગ્નેશીયમ ખામીને કારણે કપાસમાં લાલ પર્ણ દેખાય તો મેગ્નેશીયમ સલ્ફેટનું ૧ ટકાના દ્રાવણનો છંટકાવ ખામી દેખાય ત્યારે કરવો પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.
રાયડો: ચુસીયા પ્રકારની જીવાતો માટે ઇમીડાકલોપ્રીડ ૧૭ઈ૮ એસેલ ૪ મિ.લિ., એસીડામીપ્રીડ – ૨૦ એસપીએલ ૨ એમએલ એસીફેટ ૭૫ એસએલ ૨૦ મિ.લિ. માંથી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.

ચણા:બીજું પિયત ૧૫ થી ૨૦ દિવસે આપવું.
રોગ નિયંત્રણ – સુકારો
૧. પ્રતિકારક જાતો જી.જે.જી.-૩, જી.જી-પ અથવા જી.જે.જી.-૬ વાવો.
ર. બીજને વાવણી પહેલા ફુગનાશક દવાનો પટ આપવો.
૩. દર વર્ષે એક જ જગ્યાએ ચણા ન વાવો.
૪. જમીનમાં સેન્દ્રિય ખાતર, ખોળ ઉમેરો.
પ. બાજરી, જુવાર જેવા પાકોની ફેરબદલી કરવી.
લસણઃ વાવતેર માટે ગુજરાત લસણ ૧, ૨, ૩, ૪ અને ૫ જાતો પૈકી એક જાતનું ઓક્ટોબર અથવા નવેમ્બર માસમાં વાવતેર કરવું.
જીરૂ: જીરૂનું વાવેતર નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું ઉષ્ણતામાન ૩૦.૦ થી ૩ર.૦ સેન્ટીગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ. મેથી અને ધાણાની વાવણીનો યોગ્ય સમય નવેમ્બરના પ્રથમ અઠવાડિયાનો છે. જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બેસીયાના ૬૦ ગ્રામ ૧૦ લિટર જીવાત દેખાય ત્યારે, બીજો ૧૦ દિવસે છંટકાવ કરવો.
મસાલા પાકોમાં બિયારણની પસંદગી:
• જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્ફૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે.
• દા.ત. જીરૂના બિયારણમાં જીરાળાનું બી હોય છે જેના છોડ જીરૂ જેવા જ થતા હોવાથી દુર કરવા મુશ્કેલ બને છે. જેથી જીરૂના ઉત્પાદનમાં આ બિયારણ ભળવાથી તેની ગુણવત્તા નબળી રહેવાથી ઓછો બજારભાવ મળે છે.
• તેથી મસાલાના પાકોના બિયારણો કૃષિ યુનિવર્સીટી અને માન્ય  સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો.
• આવા બિયારણો ર-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.
• વરિયાળી અને મરચી જેવા પાકોમાં સારા શુધ્ધ છોડની પસંદગી ફૂલ બેસવાની શરૂઆત પહેલા ઝીણા મખમલના કાપડની થેલીઓ ચઢાવીને બિયારણની જનીનિક શુધ્ધતા જાળવવી જોઈએ.

• મસાલાના પાકોના બિયારણના દર દાણાના કદ અને વજન પ્રમાણે જુદા જુદા હોવાથી સંશોધનના આધારે યુનિવર્સિટીએ ભલામણ કરેલ બિયારણના દર મુજબ જ વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો નથી અને ઉત્પાદન પણ મહત્તમ મળી રહે છે.
• સુધારેલ નવીન જાતોનું સારું, જનીનિક શુધ્ધતા ધરાવતું બીજ.
• પિયત વ્યવસ્થા, નિંદણ વ્યવસ્થા અને પાક સંરક્ષણ એ પાક ઉત્પાદન વધારવા માટેના મહત્વના પરિબળો છે.
• વધુ ઉત્પાદન આપતી બીજની સારી ગુણવત્તા ધરાવતી અને રોગ-જીવાત, પાણીની ખેંચ તથા ક્ષારો સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતની પસંદગી એ વધુ નફાકારક ખેતીનું એક બિનખર્ચાળ પરિબળ છે.
• આથી જ જો ખેડૂતમિત્રો મસાલાના પાકોમાં માત્ર સુધારેલ નવીન જાતોનું વાવેતર કરે તો પણ પોતાની ખેતીમાં ૧પ થી ર૦ ટકા વધુ નફો મેળવી પોતાના આર્થિક વિકાસમાં હરણફાળ ભરી શકે.
• ગુજરાતમાં ચોમાસુ ખેતી વરસાદ આધારિત છે. જયારે શિયાળુ ઋતુમાં ખેડૂતોએ પોતાની નિપૂણતા બતાવીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેતપેદાશ મેળવવાની હોય છે.
શેરડી: શેરડીના વાવેતર પહેલા જુની કામસ (પ્રેસમડ)માં ઉગાડેલ જૈવિક ઘટક ટ્રાઈકોડરમા હારજીયમ ૮ ટન પ્રતિ હેકટર જમીનમાં આપવાથી સુકારો અને રાતડાનો રોગ અટકાવવામાં ઉપયોગી છે.
જૈવિક ખાતરઃ એજોટોબેકટર કલ્ચર ર કિગ્રા. પ્રતિ હેકટર (રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે) કલ્ચરને ૧૦૦ કિ.ગ્રા. છાણીયુ ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ આપવું. શેરડીની રોપણી ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે ત્યારે શેરડીની બે હાર વચ્ચે લસણ, ડુંગળી અથવા ઘઉંની બે અથવા ત્રણ હાર વચ્ચે વાવેતર કરવાની ભલામણ છે.
વેલાવાળા શાકભાજી: મોલો અને કથીરી
મોલો: ઉપદ્રવની શરૂઆતના સમયે લીમડાની લીંબોળીની મીંજના ૫૦૦ ગ્રામ ભૂકાનો અર્ક(૫% અર્ક) અથવા લીંબોળીની મીંજનો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી)થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા લેકાનીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયામેથોકઝામ ૨૫ વેગ્રે ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે.
કથીરી: લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી)૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફેનાઝાકિવન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૫૦ ટકા ૨૫ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મરચી: • સ્યુડોમોનાસ ફલુરોસનસ (બેકટેરીયા), ૬ ગ્રામ/કિલો બીજને માવજત આપવાથી ધરૂવાડીયામાં કોહવારાનું પ્રમાણ ઘટે છે. અમુક પાકમાં પોચા સડાનું પ્રમાણ પણ ઘટાડે છે. તેમજ પાકનો ઉગાવો વધુ મળે છે.
ટમેટા: ભૂકી છરાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦ વાળો ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. ડુંગળી ઃ રવિ ઋતુ માટે ડુંગળીની લાલ જાત જીજેઆરઓ-૧૧
ખોળનો વપરાશઃ દિવેલા, મગફળી, તલ, કપાસિયા, કરંજનો ખોળ, લીંબોળી તેમજ નાળિયેર વિગેરેના ખોળનો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે સેન્દ્રીય ખાતર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ખોળમાં પોષક તત્વોનું પ્રમાણ સામાન્ય સેન્દ્રીય ખાતરો કરતાં પાંચથી દસ ગણું વધારે હોવાથી ખાતર તરીકે ખેત ઉત્પાદન વધારવા અસરકારક રીતે વાપરી શકાય છે.