કપાસ: કપાસમાં કાબરી, લીલી, ગુલાબી અને લશ્કરી ઈયળ માટેનાં ફેરોમોન ટ્રે૫ મળે છે. ફેરોમોન ટ્રે૫માં ઉ૫રોકત જીવાતનાં નર ફૂદાં આકર્ષાઈને આવે છે જેથી જીવાતના નિયંત્રણનાં ૫ગલા લેવામાં અનુકૂળતા રહે છે.
લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળોના નર ફૂદાના સામૂહિક એકત્રીકરણ માટે વીઘા દીઠ ૫ થી ૬ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને લ્યુર દર ૩૦ દિવસે બદલવી જોઈએ.
ફેરોમોન ટ્રે૫ કપાસની ટોચથી ૧-૧.૫ ફૂટ ઉંચાઈએ રાખવા.
ગુલાબી ઈયળનાં ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેકટરે ૩૦ થી ૩૫ ફેરોમેન ટ્રેપ ગોઠવવા.
ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટકાવ કરવો. કપાસમાં મૂળખાઈના રોગનાં નિયંત્રણ માટે કોપર ઓકઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી ડ્રેન્ચીંગ કરવું.
કપાસની સારી વૃદ્ધિ વધારવા માટે નેપ્થેલીન એસિટીક એસિડનો ૫૦ અને ૭૦માં દિવસે છંટકાવ કરવો.
નિંદામણ માટે ૩૦ થી ૩૫ દિવસે ટર્ગા સુપર અથવા વ્હીપ સુપર ૩૦ (નાની અવસ્થાએ) થી ૩૫ મિ.લિ. (મોટી અવસ્થાએ) પ્રતિ પંપ (૧૫ લિટર) પ્રમાણે છંટકાવ કરવો. સામાન્ય રીતે બે વખત હાથથી નિંદામણ અને બે વખત આંતર ખેડ કરી નિંદામણ કરવું જોઈએ.
યુરિયા ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે અને પિયત આપ્યા પછી જ સવારમાં કે બપોર બાદ આપવામાં આવે તો આપેલ ખાતરનો છોડ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. ઘણા ખેડૂતો કપાસના પાકમાં પાછલી અવસ્થામાં ડી.એ.પી. રાસાયણિક ખાતર આપે છે તે જરા પણ યોગ્ય નથી, કારણ કે કોઈપણ પાક માટે ફોસ્ફરસ યુકત ખાતર પાકના વાવેતર પહેલા ચાસમાં ઉંડે આપવાનું હોય છે. પાછળથી જમીન ઉપર આપવામાં આવેલ કોઈપણ ફોસ્ફરસ યુકત ખાતરનો પુરતો ઉપયોગ થતો નથી અને ખેતી ખર્ચ વધે છે.
મગફળી
• સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે જેના નિરાકરણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને ૧૦ ગ્રામ સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ (૧૦ લિટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.
ગેરૂ: આ રોગ પકસીનીયા એરીચીડીસ નામની ફુગથી થાય છે. ગેરૂ રોગના લીધે દાણાની ગુણવત્તામાં પણ અસર થાય છે. આ રોગને લીધે છોડના પાન ઉંમર પહેલા સુકાઈ જાય છે જેને લીધે ચારાની ગુણવત્તામાં પણ અસર થાય છે.
રોગના લક્ષણો: આ રોગની શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર ટાંચણીના માથા જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકા દેખાય છે અને આ ટપકાની બરાબર ઉપરની સપાટી પીળી પડે છે. વખત જતા આવા ગેરૂના ટપકા પાનની ઉપરની સપાટી પર અને જો રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો છોડની દાંડી પર પણ આછા ટપકા જોવા મળે છે. રોગવાળા પાન સુકાઈને ખરી પડે છે. આ રોગને કારણે ડોડવામાં દાણા પુરા ભરાતા નથી અને ગુણવત્તા નબળી રહે છે.
નિયંત્રણ:
• ચોમાસુ પાક લીધા પછી મગફળીના અરોડા છોડનો નાશ કરવો જેમાં પ્રાથમિક રોગના બીજાણુઓ રહેલા હોય છે.
• મગફળીનો પાક ૩પ થી ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ ૦.ર ટકા (૧૦ લિટર પાણીમાં રપ ગ્રામ) અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦પ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) ના ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા. વાવેતર બાદ ૪૦ દિવસે હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ૯ અને ૬૦ અને ૮૦ દિવસે ટાલ્કમ પાવડર આધારિત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ અથવા હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરવો.
• પાયરેક્લોસ્ટ્રોબિન અથવા કાર્બેન્ડાઝીમ પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયે અને બાકીના બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા. અથવા રોગ દેખાય એટલે હેકઝાકોનાઝોલ પમ્પમાં ૨૫ થી ૩૦ મિ.લિ. નાખી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે શાર્પ ૨૦ મિ.લિ. પમ્પમાં નાખી છંટકાવ કરવો.
• થડ / ડોડવાનો સડો: આ રોગ સ્ક્લેરોશીયમ નામની ફૂગથી થતો હોય છે.
રોગની ઓળખ અને નુકસાન: જમીનની લગોલગ તથા અંદર, થડ ઉપર આછા ભુખરા રંગનાં ધાબા દેખાય. થડ ઉપર સફેદ ફુગનાં તાંતણા દેખાય જેમાં ફુગની ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને. વખત જતાં આ પેશીઓ (સ્કલેરોશીયા) રાઈના દાણા જેવી બને છે. સફેદ ફુગ ડોડવા પર પણ જોવા મળે. જેને કારણે દાણા જાંબુડીયા રંગનાં થઈ જાય. રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો આખો છોડ સફેદ ફુગનાં તાંતણાંથી ઘેરાઈ જાય. છોડ સુકાઈ જાય છે. હમણાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાન ઉપર ટપકાનાં સ્વરૂપમાં પણ આ રોગ જોવા મળેલ છે.
તલઃ • તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસિડ IAA ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો.• સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે જેના નિરાકરણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને ૧૦ ગ્રામ સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ (૧૦ લિટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.
ગેરૂ: આ રોગ પકસીનીયા એરીચીડીસ નામની ફુગથી થાય છે. ગેરૂ રોગના લીધે દાણાની ગુણવત્તામાં પણ અસર થાય છે. આ રોગને લીધે છોડના પાન ઉંમર પહેલા સુકાઈ જાય છે જેને લીધે ચારાની ગુણવત્તામાં પણ અસર થાય છે.
રોગના લક્ષણો: આ રોગની શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર ટાંચણીના માથા જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકા દેખાય છે અને આ ટપકાની બરાબર ઉપરની સપાટી પીળી પડે છે. વખત જતા આવા ગેરૂના ટપકા પાનની ઉપરની સપાટી પર અને જો રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો છોડની દાંડી પર પણ આછા ટપકા જોવા મળે છે. રોગવાળા પાન સુકાઈને ખરી પડે છે. આ રોગને કારણે ડોડવામાં દાણા પુરા ભરાતા નથી અને ગુણવત્તા નબળી રહે છે.
નિયંત્રણ:
• ચોમાસુ પાક લીધા પછી મગફળીના અરોડા છોડનો નાશ કરવો જેમાં પ્રાથમિક રોગના બીજાણુઓ રહેલા હોય છે.
• મગફળીનો પાક ૩પ થી ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ ૦.ર ટકા (૧૦ લિટર પાણીમાં રપ ગ્રામ) અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦પ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) ના ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા. વાવેતર બાદ ૪૦ દિવસે હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ૯ અને ૬૦ અને ૮૦ દિવસે ટાલ્કમ પાવડર આધારિત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ અથવા હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરવો.
• પાયરેક્લોસ્ટ્રોબિન અથવા કાર્બેન્ડાઝીમ પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયે અને બાકીના બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા. અથવા રોગ દેખાય એટલે હેકઝાકોનાઝોલ પમ્પમાં ૨૫ થી ૩૦ મિ.લિ. નાખી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે શાર્પ ૨૦ મિ.લિ. પમ્પમાં નાખી છંટકાવ કરવો.
• થડ / ડોડવાનો સડો: આ રોગ સ્ક્લેરોશીયમ નામની ફૂગથી થતો હોય છે.
રોગની ઓળખ અને નુકસાન: જમીનની લગોલગ તથા અંદર, થડ ઉપર આછા ભુખરા રંગનાં ધાબા દેખાય. થડ ઉપર સફેદ ફુગનાં તાંતણા દેખાય જેમાં ફુગની ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને. વખત જતાં આ પેશીઓ (સ્કલેરોશીયા) રાઈના દાણા જેવી બને છે. સફેદ ફુગ ડોડવા પર પણ જોવા મળે. જેને કારણે દાણા જાંબુડીયા રંગનાં થઈ જાય. રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો આખો છોડ સફેદ ફુગનાં તાંતણાંથી ઘેરાઈ જાય. છોડ સુકાઈ જાય છે. હમણાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાન ઉપર ટપકાનાં સ્વરૂપમાં પણ આ રોગ જોવા મળેલ છે.
તલઃ
• તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસિડ IAA ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો.• પાન/ થડનો સુકારોનાં નિયંત્રણમાટે કોપરઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.
સૂર્યમુખી:
• સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લિ./હેક્ટર
અથવા લીલી ઈયળનું એન.પી.વી. ૨૫૦ એલઇ/હેક્ટર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટનો છંટકાવ કરવો.
દિવેલા:
• જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.
ડાંગરઃ
• ડાંગરની સીરા પદ્ધતિથી પણ વાવેતર કરી શકાય. ખાતરનો જથ્થો ૪૦% નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ રોપણી સમયે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે
• ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું .
બાગાયત:
કેળ:
• દરિયા કિનારાના સતત પવનથી પાકને સુરક્ષિત રાખવા પવન અવરોધક વાડ કરવી ઉપરાંત કેળનું રોપાણ ઈશાન-નૈતૃત્ય દિશામાં કરવું.
• આ પદ્ધતિથી વાવેતર કરવાથી પવન સોંસરવો નીકળી જશે અને બધા જ છોડને સૂર્યપ્રકાશ પણ એક સરખો મળશે.
• કેળનું સારૂ ઉત્પાદન લેવા એક હેકટર વિસ્તાર માટે ૧૦૦ થી ૧રપ ગાડા સારૂ કોહવાયેલ છાણિયું ખાતર લેવું તેમાંથી અડધું જમીન તૈયાર કરતી વખતે ખેડ સાથે ભેળવી દેવું, અને બાકીનું રોપણી વખતે ખાડાની માટી સાથે મેળવી પીલો રોપવો.
• છાણિયું ખાતર ન મળે તો લીલો પડવાશ કરવો. રોપણી વખતે છોડ દીઠ ૩૦૦ ગ્રામ દિવેલીનો ખોળ આપવો.
• રાસાયણિક ખાતર વાવેતર બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં માસે છોડ દિઠ ૧૪૦ ગ્રામ યુરિયા, ૧૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવા. જયારે પ૬૦ ગ્રામ સિંગલ ફોસ્ફેટ પ્રથમ હપ્તે જ આપી દેવું.
• ઘનીષ્ટ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડવાથી નોંધપાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે.
• દરેક ફળઝાડને સમયસર સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો આપવા જોઈએ. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળપાકની જાત, ઝાડની ઉંમર તથા જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવું.