(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી સંબંધિત રૂ. ૨,૮૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ગુજરાત અને મહારાષ્ટના ચાર શહેરોમાં દરોડા પાડ્યા છે. ઈડીના સુરત સ્થત યુનિટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ,૧૯૯૯ની જાગવાઈઓ હેઠળ પાપલજ ફોરેન ટ્રેડ એલએલપી, તેના ભાગીદારો સોમાભાઈ સુંદરભાઈ મીના અને ઓજસકુમાર મોહનલાલ નાઈક અને તેમના સહયોગીઓની વિવિધ જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. સુરત, વડોદરા, મુંબઈ અને પુણેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.એજન્સીએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન ગુનાહિત દસ્તાવેજા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડી એ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી કે પાપલજ ફોરેન ટ્રેડ એલએલપીએ હીરાની આયાત અને નિકાસમાં વધુ પડતા મૂલ્યાંકનને કારણે મોટી માત્રામાં નાણાં મોકલ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીએ જુલાઇ, ૨૦૨૩ અને માર્ચ, ૨૦૨૪ ની વચ્ચે હીરાની આયાતને વધુ પડતી ગણાવી હતી અને રૂ. ૨,૮૦૦ કરોડની નિકાસ કરી હતી.ઈડીની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાપલજ ફોરેન ટ્રેડ એલએલપીને સુરત, દિલ્હી, મુંબઈ અને પુણે સ્થત કંપનીઓ પાસેથી રૂ. ૨,૮૦૦ કરોડનું ભંડોળ મળ્યું હતું અને તેને હોંગકોંગ સ્થત આઠ સંસ્થાઓને મોકલ્યું હતું. ઈડીએ કહ્યું કે સર્ચ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીને આશરે રૂ. ૨,૮૦૦ કરોડની રકમ ટ્રાન્સફર કરનાર સંસ્થાઓ શેલ એન્ટટી હતી.