ખાંભા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર ર૦ર૪ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૨૨ નવેમ્બર ર૦ર૪ સુધીમાં ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવા.
અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું, તેમ ખાંભા તાલુકા મામલતદારે એક યાદીમાં જણાવ્યું છે.