ગુજરાતમાં દલિત સમુદાયના હક્ક અને અધિકાર માટે સતત કોંગ્રસ પક્ષ લડતું રહ્યું છે ત્યારે દલિત સમાજના લોકોના પ્રશ્નોને રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા એડી.ડીજીપી રાજકુમાર પાંડિયનને સસ્પેશનની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દલિત સમાજના લોકો મળવા પાત્ર હજારો એકર જમીન પર માથાભારે અસામાજિક તત્વો, ગુંડાતત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના લાખો દલિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે વારંવાર સુરેન્દ્રનગર અને કચ્છ સહીત જુદા જુદા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા ગત તારીખ ૧૫ ઓકટોબરએ ગુજરાત સીઆઈડી અને એસસી, એસટી, માનવ અધિકારના અધિક પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકુમાર પાંડિયન સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. દલિત સમાજના હક્ક અધિકારના પ્રશ્નો અંગે રજૂઆત સંભાળવાને બદલે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા શ્રી રાજકુમાર પાંડિયન દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિને મોબાઈલ બહાર મૂકી આવી, ટી-શર્ટ કેમ પહેરી છે? જેવા બિનજરૂરી પ્રશ્નો પૂછી સરકારી અધિકારીના પ્રોટોકોલનો ભંગ કરી અપમાનિત ભર્યું વર્તન કર્યું હતું. કોઈ પણ સરકારી અધિકારીઓના તુંડમિજાજી, અહંકારી વર્તન ગુજરાતમાં ચલાવી ન લેવાય. જનતાની સેવા કરવા બેઠેલા અધિકારીઓને સરકારી ઓફીસ પોતાના બાપની ઓફીસ સમજી વર્તે તે યોગ્ય નથી. શું ડીજી ઓફિસ રાજ્યનાં જનતાનાં પૈસાથી નથી ચાલતી?
ગુજરાતના દલિતોના અવાજને રજુ કરવા જનપ્રતિનિધિશ્રી જીગ્નેશ મેવાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રી હિતેન્દ્ર પીઠડીયા સાથે કરવામાં આવેલ ગેરવર્તુક અને ગુજરાતના લાખો દલિતોના અવાજને દબાવવા નિરર્થક પ્રયત્ન વિરુધ્ધ ૨૩ ઓકટોબર કોંગ્રેસ પક્ષ, દલિત સંગઠનો, સામાજિક સંગઠનો ડીજી ઓફિસ બહાર દેખાવો કરશે. શ્રી રાજકુમાર પાંડિયનના ઈતિહાસને ધ્યાને રાખીને જીગ્નેશ મેવાણી, શ્રી હિતેન્દ્ર પીઠડીયા તેમજ મારા પરિવારજનોને હત્યા,એન્કાઉન્ટર અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનીના જવાબદાર શ્રી રાજકુમાર પાંડિયન રહેશે.