છેલ્લા ૧૪ વર્ષથી ફરાર દંપતીને અમરેલી એલસીબીએ ઝડપી લીધું હતું. તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.૧૪ વર્ષ પૂર્વે જૂનાગઢના મેંદરડા અને ગીર સોમનાથના તાલાલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ દંપતી આ ગુનામાં ફરાર હતું. ત્યારે અમરેલી એલસીબીએ રાજકોટના કોઠારીયા લાપાસણી ચોક વેલનાથપરામાં રહેતા વલ્લભ મનજીભાઈ કાવઠીયા અને શોભાબેન વલ્લભભાઈ કાવઠીયાને ઝડપી લીધા હતા