ગીર સોમનાથ જિલ્લામાં કેટલીક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખતા હોવાનું અને આ બાયોમેડિકલ વેસ્ટના દહનથી દુર્ગંધ અને ધુમાડો ફેલાતા આજુબાજુ રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાના ધ્યાને આવતા, હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જોગવાઈ મુજબ બાયોમેડિકલ વેસ્ટનું સેગ્રીગેશન, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝ થાય જેથી લોકોના સ્વાસ્થ્યને તથા પર્યાવરણ પર આડઅસર ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.