(એ.આર.એલ),વારાણસી,તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે સતત ત્રીજીવાર વારાણસીથી નામાંકન દાખલ કર્યુ છે. નામાંકન પહેલા પીએમ મોદીએ વારાણસી, લોકસભા ચૂંટણી અને મા ગંગાનું મહત્વ સહિતના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ જણાવ્યુ “હું કોમર્શિયલ અને ફાયનાન્શયલ માઈન્ડથી વિચારુ તો આ દેશ ૧૪૦ કરોડનું માર્કેટ છે. જે ગંગાસ્નાન માટે જવા માગે છે. ચારધામ જવા ઈચ્છે છે. દ્વાદશ જ્યોતિ‹લગ જવા ઈચ્છે છે અને જે અષ્ટગણેશની પૂજા કરવા માગે છે. આ બધામાં મેં ઈકોમોની પણ જાઈ છે અને ભવિષ્ય પણ જાયુ છે. જ્યારે આપ પોતાની ચીજાનું સન્માન કરો છો તો સમગ્ર વિશ્વ આપનું સન્માન કરે છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું “મેં જી-૨૦માં એક પ્રયોગ કર્યો હતો. મેં નક્કી કર્યું
આભાર – નિહારીકા રવિયા હતું કે હું જી ૨૦ને મોદી સુધી સીમિત નહીં રાખુ. હું જી-૨૦ને દિલ્હી સુધી સીમિત નહીં રાખુ. અમે દેશમાં અલગ-અલગ સ્થળોએ જી૨૦ની ૨૦૦ બેઠકો યોજી. પરિણામ એ આવ્યું કે જી ૨૦નું કામ તો થયું પરંતુ વૈÂશ્વક નેતાઓને પણ દેશની વિવિધતા વિશે જાણકારી મળી.”
પીએમ મોદીએ કહ્યું “જી ૨૦ દરમિયાન વિશ્વભરમાંથી અંદાજે એક લાખ લોકો ભારત આવ્યા હતા. આ લોકો વિશ્વના મહત્વના દેશોની નિર્ણય પ્રક્રિયામાં મહત્વ ધરાવતા હતા. આ લોકોએ આખા દેશને જાયો. તેમને ખબર પડી કે આ દેશ ઘણો મોટો અને વિવિધતાથી ભરેલો છે. તો આ રીતે મેં મારા દેશની બ્રાÂન્ડંગ માટે જી ૨૦ નો ઉપયોગ કર્યો.”
પીએમએ કહ્યું “દુનિયાનો કોઈ પણ નેતા આવે, હું તેને ગંગા આરતી કરાવું છું. આમ કરીને હું તેમનું હિંદુકરણ નથી કરી રહ્યો. હું તેમને પ્રકૃતિ પ્રત્યેનો આપણો પ્રેમ બતાવું છું, આપણે પ્રકૃતિ પ્રત્યે કેટલા સમર્પિત છીએ એ સમજાવુ છુ.. આપણે પ્રકૃતિનો વિનાશ કરનારા લોકો નથી. આપણે પ્રકૃતિનું જતન કરનારા લોકો છીએ. વિશ્વ ગ્લોબલ વો‹મગની ચિંતા કરે છે પરંતુ હું ગંગા આરતી કરીને બતાવું છું કે ગ્લોબલ વો‹મગનું સમાધાન પ્રકૃતિ પ્રત્યેની ભÂક્તમાં રહેલુ છે.”
લોકસભા ચૂંટણીમાં જીતના આશાવાદ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું “અમે ૪૦૦ પાર કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ ૪૦૦ પાર દેશની ભાવના છે. ભગવાને મને મોકલ્યો છે. પરમાત્માએ મારી પાસેથી કામ લેવાનું નક્કી કર્યું છે. પુરુષાર્થ કરવાની દિશા પણ પરમાત્મા આપે છે. આ બધી ઈશ્વરની કૃપા છે. ૪૦૦ પાર એ કોઈ સ્લોગન નથી. આ દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.”
પીએમએ કહ્યું “કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. પરમાત્માએ મને ભારત ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. હું ૧૪૦ કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ઈશ્વરે મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેક ક્ષણ અને મારા શરીરનો એકેએક કણ માત્ર મા ભારતી માટે છે.”