હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક કથિત ગેરકાયદે મસ્જીદને લઈને હોબાળો ફાટી નીકળ્યો છે. અહેવાલો અનુસાર, સંજૌલી, શિમલામાં બનેલી ગેરકાયદેસર મસ્જીદ સંબંધિત વિવાદ વધી રહ્યો છે અને રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે ગેરકાયદે બાંધકામને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. શિમલાના ચૌરા મેદાનમાં હિન્દુ સંગઠનોના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંજૌલીમાં જ્યાં મસ્જીદ બનેલી છે તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જીદ સંજૌલીમાં બજારની બાજુમાં બનાવવામાં આવી છે અને તેના બે માળ ગેરકાયદેસર છે.
મસ્જીદો ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવાની માંગ ઉઠી છે. તમને જણાવી દઈએ કે આ જ રવિવારે અહીં પ્રદર્શન થયું હતું અને હવે આ મામલો વધુ જાર પકડ્યો છે. આવી Âસ્થતિમાં, સરકારે સંજૌલીમાં ૫ કિમીની ત્રિજ્યામાં કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે પોલીસ દળ તૈનાત કરી છે. બપોરના ૧૨ વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બધું શાંત હતું પરંતુ પછી અચાનક ભીડ સ્થળ પર પહોંચી ગઈ હતી. દરમિયાન હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે આરોપ લગાવ્યો કે મÂસ્જદ બહારના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી અને તેને તાત્કાલિક હટાવી દેવી જાઈએ.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. મÂસ્જદ સામે વિરોધ કરવા નીકળેલી ભીડ અંગે તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે આ મામલે બંધારણ મુજબ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જાવાની જરૂર નથી. મÂસ્જદ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે જા તે ગેરકાયદેસર હોવાનું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીમાં મÂસ્જદના ગેરકાયદે બાંધકામને લઈને નિયમ ૬૨ હેઠળ ગૃહમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ સિંહ અને કોંગ્રેસના ધારાસભ્ય હરીશ જનાર્થા ગૃહમાં સામસામે હતા. નિયમો મુજબ, ભાજપના ધારાસભ્ય બલબીર વર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય હરીશ જનાર્થે મÂસ્જદના ગેરકાયદેસર બાંધકામને કારણે ઉદ્ભવતા તણાવ તરફ ગૃહનું ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસના વિધાનસભ્ય હરીશ જનાર્થાએ કહ્યું કે ૧૫ વર્ષ પહેલા મÂસ્જદમાં બાંધકામનું કામ કરવામાં આવ્યું હતું, જમીન બકફ બોર્ડની છે. તેમણે કહ્યું કે અહીં રહેતા મોટાભાગના લોકો અપર શિમલાના છે.
આ દરમિયાન કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું કે આ મÂસ્જદ સરકારી જમીન પર બનાવવામાં આવી છે. સરકારી જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. ૨૦૧૯ સુધીમાં, મÂસ્જદ પર ચાર માળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રીએ પણ આ મામલે મિલીભગતનો આક્ષેપ કર્યો હતો. મÂસ્જદની જમીનના માલિકનું નામ હિમાચલ સરકાર પાસે છે. કેબિનેટ મંત્રીએ તમામ દસ્તાવેજા ટેબલ પર મૂક્યા. એવો કાયદો બનાવવો જાઈએ કે હિમાચલમાં છૂટક વેપાર માત્ર હિમાચલ પૂરતો મર્યાદિત હોવો જાઈએ. હાલ મામલો મહાનગરપાલિકા પાસે છે. ખોટા નકશાને કારણે આ કેસ મહાનગરપાલિકા કોર્ટમાં ચાલી રહ્યો છે.આ મામલે જવાબ આપતાં જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે આ સમગ્ર મામલે ન્યાયપૂર્ણ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં. આ બાબત સૌપ્રથમવાર ૨૦૧૦માં ધ્યાનમાં આવી હતી. ત્યારથી, આ મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશન શિમલામાં સુનાવણી ચાલી રહી છે, જેમાં મ્ઝ્રહ્લ બોર્ડને પ્રતિવાદી બનાવવામાં આવ્યું હતું. મÂસ્જદના નિર્માણ દરમિયાન નકશામાં ભૂલો જાવા મળી હતી. પહેલા ચાર માળ પણ ૨૦૧૮ પહેલા બાંધવામાં આવ્યા છે. ૨૦૨૪માં વર્તમાન કોંગ્રેસ સરકારના સમયમાં અહીં બનેલા આયુર્વેદ શૌચાલયને પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ આખો મામલો મલયાણામાં લડાઈથી શરૂ થયો હતો અને તેમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે સગીર છે. હાલ મહાનગરપાલિકામાં તેની સુનાવણી થવાની છે અને તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવશે.અનિરુદ્ધ સિંહના નિવેદનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા ઓવૈસીએ પૂછ્યું છે કે, હિમાચલમાં ભાજપ કે કોંગ્રેસની સરકાર છે? હિમાચલની ‘પ્રેમની દુકાન’માં નફરત જ નફરત! ઓવૈસીએ આગળ લખ્યું છે કે, આ વીડિયોમાં હિમાચલ કોંગ્રેસના આ મંત્રી બીજેપીની ભાષા બોલી રહ્યા છે. હિમાચલના સંજૌલીમાં એક મÂસ્જદ બની રહી છે, તેના નિર્માણને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.ઓવૈસીએ કહ્યું કે, સંઘીઓના એક જૂથે મÂસ્જદ તોડી પાડવાની માંગ કરી છે.