(એ.આર.એલ),હિંમતનગર,તા.૧૪
હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે એક પિતાએ ૩ માસુમ બાળકોને ઝેર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમા એક બાળકનું મોત થયું હતું, જ્યારે બીજાને સારવાર અર્થે લાંબડિયા જનરલ હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધરંગીએ તેના ત્રણ બાળકોને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં પોતે પણ ઝેર ખાઈ લીધું હતું.ઝેર પીધા બાદ પિતાએ તેના બાળકો સાથે બચેલું ખાવાનું શરૂ કર્યું. જ્યારે આજુબાજુના લોકોને ઘટનાની માહિતી મળી ત્યારે ધરંગી પરિવારના ૪ સભ્યોને તાત્કાલિક લાંબડિયા જનરલ હોસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તાત્કાલિક સારવાર
આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાહિલ ધરંગીની તબિયત લથડતાં તેને ખેડબ્રહ્મા રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં સવારના સમયે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે બાળકો અને પિતાને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પટલે પહોંચી ગયો હતો અને પોશીના મામલતદાર પણ આવી પહોંચ્યા હતા.પોશીના તાલુકાના ગણવા ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક પિતાએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રૂર પિતાએ બાળકોને વધુ દવા આપી હતી. જેના કારણે એક બાળકનું મોત થયું હતું.પોશીના તાલુકાના ગણવા ગામે પિતાએ ત્રણ બાળકો સાથે ઝેર ગળ્યું. તેમાંથી એકનું મોત થયું હતું. બીજી તરફ પત્ની ગુસ્સામાં ચાલી જતાં પિતાએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.