એજબેસ્ટનમાં ભારતીય ટીમ સામે હાર બાદ, ઇંગ્લેન્ડ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કરવાથી ડરી ગયું છે. બુમરાહ બ‹મગહામમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો, પરંતુ તેની ગેરહાજરીમાં પણ ભારત જીત નોંધાવવામાં સફળ રહ્યું. ભારતે ઇંગ્લેન્ડને ૩૩૬ રનથી હરાવ્યું અને પાંચ મેચની શ્રેણી ૧-૧ થી બરાબર કરી. આ હાર બાદ, ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું છે કે તેમની ટીમે આગામી ટેસ્ટ મેચમાં બુમરાહનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે મેચ પછી પુષ્ટિ કરી હતી કે બુમરાહ ૧૦ જુલાઈથી લોર્ડ્‌સ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. એ વાત જાણીતી છે કે બુમરાહ આ શ્રેણી પહેલા જ પુષ્ટિ કરી ચૂક્યો હતો કે તે આ પ્રવાસમાં ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. બુમરાહ લીડ્‌સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રમ્યો હતો અને તેણે પહેલી ઇનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મેક્કુલમે કહ્યું, આગામી મેચમાં બુમરાહની વાપસી થવાની પૂરી શક્્યતા છે, તેથી આપણે સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. મને લાગે છે કે ત્યાંની પિચ બ‹મગહામ કરતા અલગ હશે, જે અમારા માટે સારી વાત છે. બીજી ટેસ્ટમાં, અમે પાંચેય દિવસ ભારતથી પાછળ રહ્યા. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલ એક મહાન બેટ્‌સમેન છે અને તેણે આ પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું. અમે તેના પર રમી શક્યા નહીં કારણ કે અમે રમવા માંગતા હતા અને તેઓ જીતના સંપૂર્ણપણે હકદાર હતા.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને સ્વીકાર્યું કે ટોસ જીત્યા પછી ઈંગ્લેન્ડે ભારતને બેટિંગ માટે મોકલવાનો ખોટો નિર્ણય લીધો હતો અને એકંદરે પિચનું ખોટું મૂલ્યાંકન પણ કર્યું હતું. મેક્કુલમે કહ્યું, મને લાગે છે કે જેમ જેમ રમત આગળ વધતી ગઈ, અમે તે ટોસ પર વિચાર કર્યો અને કહ્યું કે શું અમે તક ગુમાવી દીધી. અમને અપેક્ષા નહોતી કે વિકેટ આટલી સારી રમશે અને તેથી કદાચ અમે થોડો ખોટો નિર્ણય લીધો હશે.