સાવરકુંડલાના હાડીડા ગામે દુખાવાથી કંટાળીને એસિડ પીનારી પરિણીતાનું સારવારમાં મોત થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ સંદર્ભે કેતનકુમાર ભીમજીભાઈ ઘોડાદરા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની વંદનાબેન કેતનકુમાર ઘોડાદરા (ઉ.વ.૩૪)ને છેલ્લા બે વર્ષથી માથામાં ખુબ જ દુખાવો રહેતો હતો. આ દુખાવો બંધ નહીં થતાં કંટાળી તેમણે પોતાની મેળે ઘરે એસિડની બોટલમાંથી અડધી બોટલ ગટગટાવી લીધી હતી. જેને લઈ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેનું મોત થયું હતં. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.