ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણના બેકાબૂ દૂષણ પર સરકાર અને સંબંધિત સત્તાધીશોની નિષ્ફળતા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્પષ્ટ જાહેરનામાઓ હોવા છતાં, શહેરોમાં ડીજે અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ યથાવત છે, જે લોકો માટે એક ગંભીર સમસ્યા બની ગયો છે.ન્યાયાધીશ એ.એસ. સુપહિયા અને ન્યાયાધીશ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે એક કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન સત્તાવાળાઓ પર તીવ્ર ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, “રસ્તાઓ પર ૨૦-૨૦ ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતો અવાજ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ છે.” કોર્ટે પોલીસને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરાવવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.નવરાત્રિ નજીક છે ત્યારે હાઈકોર્ટે એક મહ¥વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટે જણાવ્યું કે, દરેક રાસ-ગરબા માટે ડીજેનો ઉપયોગ કરવા પહેલાં પરવાનગી લેવી ફરજિયાત છે. એટલું જ નહીં, અવાજનું વોલ્યુમ નિયત ધારાધોરણ કરતાં વધુ રાખી શકાશે નહીં. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.સરકાર અને જીપીસીબી દ્વારા હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે સ્પષ્ટ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે. આ નિયમો મુજબઃ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી ડીજે અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. માત્ર ડીવાયએસપી કક્ષાના અધિકારી જ સાઉન્ડ સિસ્ટમ માટે મંજૂરી આપી શકે છે. અવાજ ૭૫ ડેસીબલથી વધુ ન હોવો જાઈએ, અને તે જે-તે વિસ્તારના નિયત ધારાધોરણ કરતાં ૧૦ ડેસીબલથી વધુ ન વધવો જાઈએ. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત છે. જા નિયમોનું ઉલ્લંઘન થાય, તો પોલીસ કાર્યવાહી કરી શકે છે અને સાઉન્ડ સિસ્ટમ પણ જપ્ત કરી શકે છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત છે.અરજદારોએ કોર્ટનું ધ્યાન દોર્યું કે નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે. વાસ્તવિકતામાં, ડીજેનો અવાજ ૧૨૯ ડેસીબલ કે તેથી પણ વધુ હોય છે, જે ગંભીર ખતરો ઊભો કરે છે. તેમણે જણાવ્યું કે ડીવાયએસપીને બદલે પીઆઈ કક્ષાના અધિકારીઓ મંજૂરી આપી રહ્યા છે, અને શૈક્ષણિક સંકુલો જેવા સાયલન્ટ ઝોનમાં પણ બેફામ મંજૂરીઓ અપાઈ રહી છે. આ સ્થિતિ બતાવે છે કે નિયમો હોવા છતાં, તેમનું પાલન કરાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. હાઈકોર્ટે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું છે કે આ ગંભીર સમસ્યાને નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓએ માત્ર નિયમો બનાવવાથી નહીં, પરંતુ તેનું સખત મોનિટરિંગ અને કડક અમલીકરણ કરવું પડશે. પોલીસ અને સંબંધિત વિભાગોએ ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ચોક્કસ અને અસરકારક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે.







































