સ્વ. સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈ માધ્યમથી નિરાધાર ગં.સ્વ. વિધવા બહેનો તથા ર૦૦ સિનિયર સિટીજનો યાત્રાળુઓને વિનામૂલ્યે દેવ દર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે. સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ( ડાયાબાપાનો આશરો ) ૨૯૦, સુરભી ધ રોયલ ટાઉન, પસોદરા પાટિયા, સુરત, પ્રમુખ પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ જયશ્રીબેન દેસાઈના સહયોગથી નિરાધાર ગં.સ્વ. વિધવા બહેનો તથા તમામ સિનિયર સિટીજનોને પાણીયા, ઓળીયા, નાના ગોખરવાળા, ટીંબલા, બાબાપુર વગેરે અલગ અલગ ગામોથી દ્વારકા, બેટદ્વારકા, શ્રી સ્વામિનારાયણ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભાલકાતીર્થ, ખોડલધામ (કાગવડ), શ્રી સ્વામિનારાયણ મંદિર ગોંડલ, વીરપુર (જલારામ મંદિર), વિગેરે દર્શન યાત્રા પ્રવાસમાં આશરે ૪ બસ લઈને ર૦૦થી વધુ યાત્રાળુઓને વિનામૂલ્યે સ્વ.સુરેશકુમાર સેવા ટ્રસ્ટ તરફથી યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે.