સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રીમુક્તમુનિ મહોત્સવ અને સદ્ગુરૂ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદને ઉઘાડા પગે ચાલવુ ન પડે એવા શુભ ઉદ્દેશથી લોયાધામ પરિવારના ભક્ત બાબુભાઈ લવજીભાઈ પટેલ તથા તેમના સમસ્ત પરિવારનાં યજમાન પદે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧૭ અને ૧૮ મે ના રોજ સતત બે દિવસ સુધી ધોમધખતા તાપમાં કોઠારી સર્જુવલ્લભ સ્વામી તથા અદભૂતવલ્લભ સ્વામી વગેરે સંતોએ ચુડા, રાણપુર, બાબરકોટ તથા બોટાદ વિસ્તારમાં વસતા ગરીબ તથા અનાથ પરિવારના ઘરે ઘેરે જઈને તેમના ઉઘાડા પગમાં ચપ્પલ પહેરાવીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. લોયાધામનાં હરિભકતોની ટીમ સેવાથી ચપ્પલ વિતરણનું આ સેવાકાર્ય સફળ બન્યું હતું.