સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા જરૂરીયાતમંદ આંખનાં દર્દીઓ માટે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. વિરનગર હોસ્પિટલનાં ડોકટરો દ્વારા ૧૬૭ જેટલા દર્દીઓના મોતીયાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ર૧ જેટલા દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂરીયાત હતી તેવા દર્દીઓને દવા અને ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.