ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને ‘૫૫માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા’માં પ્રથમ ફીચર ફિલ્મ તરીકે બતાવવામાં આવશે. ગુરુવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પણજી, ગોવામાં ૨૦ થી ૨૮ નવેમ્બર દરમિયાન યોજાનાર ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતીય પેનોરમા વિભાગ હેઠળ પાંચ મુખ્ય પ્રવાહની ફિલ્મો અને ૨૦ નોન-ફીચર ફિલ્મો સહિત કુલ ૨૫ ફીચર ફિલ્મો દર્શાવવામાં આવશે.રણદીપ હુડ્ડા દ્વારા નિર્દેશિત ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ આ વર્ષે માર્ચમાં હિન્દી અને મરાઠી ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હુડ્ડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની વાર્તા લેખક અને રાજકારણી વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે. રણદીપ હુડ્ડા આ ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં છે. આ માટે તેણે પોતાનું વજન ૩૦ કિલો સુધી ઘટાડ્યું હતું.
આ ઉપરાંત, પાંચ મુખ્ય ફિલ્મો પણ છે જે ભારતીની વિવિધતા દર્શાવે છે, જેમાં ‘કારખાનુ’ (ગુજરાતી), ‘૧૨મી ફેલ’ (હિન્દી), ‘મંજુમ્મેલ બોયઝ’ (મલયાલમ), ‘સ્વર્ગરથ’ (આસામી) અને ”કલ્કી ૨૮૯૮ એડી’ (તેલુગુ). લદ્દાખી ભાષાની ફિલ્મ ‘ઘર જૈસા કુછ’ ફેસ્ટીવલની ઓપનિંગ નોન-ફીચર ફિલ્મ હશે.
દિગ્દર્શક ડા. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીની અધ્યક્ષતામાં જાણીતા સિનેમા નિષ્ણાતોની એક પેનલે ભારતીય સિનેમાના બહુપક્ષીય સ્વભાવને હાઇલાઇટ કરતી સેંકડો એન્ટ્રીઓમાંથી આ ફિલ્મો પસંદ કરી હતી. ૧૯૭૮ થી મુખ્ય આધાર, ભારતીય પેનોરમા સિનેમા દ્વારા દેશના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે.