ગીર સોમનાથ જિલ્લાના વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં દર્શન માટે આવેલા એક મહિલાનું પર્સ મંદિર પરિસરમાં ખોવાઈ ગયું હતું. આ પર્સમાં રૂ.૧૨,૦૦૦ ની રોકડ રકમ અને પૂજા વિધિ માટેની બે પહોંચ હતી. પર્સ ખોવાઈ જવાની જાણ થતા જ મહિલા દર્શનાર્થીએ તાત્કાલિક મંદિર પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસની સઘન તપાસના પરિણામે WUPC પુરીબેન ગોવિંદભાઈને આ ખોવાયેલું પર્સ મળી આવ્યું હતું. ત્યારબાદ ખાતરી થયા બાદ પોલીસે તે પર્સ તેના મૂળ માલિકને સંપૂર્ણ સલામત રીતે પરત કર્યું હતું.