ગીરસોમનાથ,તા.૦૩
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની ૨૧ નવેમ્બરથી ત્રીદિવસીય ચિંતન બેઠક સોમનાથ ખાતે યોજાશે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, સચિવ, ઉચ્ચ અધિકારીઓ આ ચિંતન બેઠકમાં હાજર રહેશે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ૨૧-૨૨-૨૩ નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન કરાયું છે. ગત વર્ષે મે મહિનામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૧૯ થી ૨૧ મે દરમિયાન કેવડિયા કોલોની ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી. સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં આરોગ્ય, પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ શિક્ષણમાં ગુણાત્મક
આભાર – નિહારીકા રવિયા સુધારા અંગે ચર્ચા કરાશે. જેમાં ખાસ કરીને સિસ્ટનેબલ ડેવલપમેન્ટ માટે ૧૦ મુદ્દાઓ પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે, જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, શૌચાલય, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોના રસીકરણનો સમાવેશ થશે.