બુધવારે, ફરી એકવાર ભારતીય શેરબજાર વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડિંગ બંધ થયું. આજે,બીએસઇ સેન્સેક્સ ૩૨૩.૮૩ પોઈન્ટ (૦.૪૦%) ના વધારા સાથે ૮૧,૪૨૫.૧૫ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ ૧૦૪.૫૦ પોઈન્ટ (૦.૪૨%) ના વધારા સાથે ૨૪,૯૭૩.૧૦ પોઈન્ટ પર બંધ થયો. આજે, આઇટી શેરોમાં સતત બીજા દિવસે મોટો ઉછાળો જાવા મળ્યો.એચસીએલ ટીસીએસ સહિતના શેર મજબૂત ઉછાળા સાથે બંધ થયા. તમને જણાવી દઈએ કે મંગળવારે પણ બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ ૩૧૪.૦૨ પોઈન્ટના વધારા સાથે ૮૧,૧૦૧.૩૨ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૯૫.૪૫ પોઈન્ટના વધારા સાથે ૨૪,૮૬૮.૬૦ પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે બીઇએલ ના શેરમાં જબરદસ્ત વધારો જાવા મળ્યો હતો.
બુધવારે, સેન્સેક્સની ૩૦ માંથી ૧૭
આભાર – નિહારીકા રવિયા કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થઈ હતી અને બાકીની ૧૩ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ હતી. એ જ રીતે, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી ૩૫ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ અને ૧૫ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. આજે, સેન્સેક્સ કંપનીઓમાં,બીઇએલના શેર સૌથી વધુ ૪.૫૦ ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ ૨.૪૬ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, આજે એચસીએલ ટેકના શેર ૨.૫૮ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૧૯ ટકા, એÂક્સસ બેંક ૨.૦૫ ટકા, ટીસીએસ ૨.૦૨ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૮ ટકા, ઇન્ફોસિસ ૧.૮૧ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૧.૧૩ ટકા,એલએન્ડટી ૦.૮૭ ટકા, અદાણી પોર્ટ્‌સ ૦.૬૯ ટકા,આઇટીસી ૦.૬૮ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૬૧ ટકા,એનટીપીસી ૦.૫૨ ટકા, ટાટા સ્ટીલ ૦.૧૫ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૫ ટકા અને એચડીએફસી બેંકના શેર ૦.૦૫ ટકાના વધારા સાથે બંધ થયા.
સેન્સેક્સના આ શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, આજે મારુતિ સુઝુકીના શેર ૧.૫૩ ટકા, ટાટા મોટર્સ ૦.૬૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૦ ટકા, એટરનલ ૦.૨૫ ટકા, પાવરગ્રીડ ૦.૨૩ ટકા, ટાઇટન ૦.૨૨ ટકા, ટ્રેન્ટ ૦.૨૦ ટકા, ભારતી એરટેલ ૦.૧૮ ટકા, સન ફાર્મા ૦.૦૬ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૦૫ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૦૩ ટકા અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર ૦.૦૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા.