એલએસી પર સ્થતિ સ્થર પરંતુ સંવેદનશીલ

(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૬
ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થતિ સ્થર છે પરંતુ સંવેદનશીલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,એલએસી પર ભારતીય સૈનિકોની તૈનાતી અને અન્ય સૈન્ય સુવિધાઓ વધારો કરવાથી હાલ આપણે ખૂબ જ મજબૂત સ્થતિમાં છીએ. આપણે તેને સંતુલિત સ્થતિ કહી શકીએ. આપણે સરહદ પર કોઈપણ પરિસ્થતિનો સામનો કરવા સક્ષમ છીએ.
‘ઈન્ડયા એન્ડ ધ ઈન્ડો-પેસિફિકઃ થ્રેટ્‌સ એન્ડ ચેલેન્જસ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા જનરલ મનોજ પાંડેએ કહ્યું કે એલએસી પર નજીકથી નજર રાખીને, આપણે એ પણ જાવું પડશે કે પાયાના માળખા સાથે અને સૈન્યની સુવિધા માટે હજુ આપણે અન્ય શું વિકાસ કરી શકીએ. આર્મી ચીફ આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ અને તેની ભવિષ્યની તૈયારીઓને કારણે એલએસી પર વધી રહેલા તણાવ અંગેના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ૫ મે, ૨૦૦૫ના રોજ પૂર્વી લદ્દાખ સરહદ પર પેંગોંગ તળાવ વિસ્તારમાં હિંસક સંઘર્ષ અને જૂન ૨૦૨૦માં ગલવાનમાં ગંભીર સૈન્ય સંઘર્ષને કારણે બંને સેનાઓ સામસામે ઉભી છે. એલએસી પર વર્તમાન પરિસ્થતિ શું છે? જનરલ મનોજ પાંડેએ કહ્યું કે જા હું  સ્થતિ વિશે ટૂંકમાં કહું તો તે સ્થતિ સ્થર પરંતુ સંવેદનશીલ છે.
ભારત અને ચીને તાજેતરમાં સરહદ વિવાદના ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો એક નવો રાઉન્ડ યોજ્યો હતો, જેમાં બંને પક્ષો જમીન પર ‘શાંતિ અને સંવાદિતા’ જાળવવા માટે સંમત થયા હતા, પરંતુ કોઈ સફળતાના સંકેત મળ્યા નથી. આર્મી ચીફને એ પણ પૂછવામાં આવ્યું હતું કે સરહદ પરની અથડામણોમાંથી શું પાઠ શીખવા મળ્યો છે, જેના પર તેમણે કહ્યું કે, આપણે માત્ર સરહદ પર જે થઈ રહ્યું છે તેનાથી ખૂબ જ મોટો પાઠ શીખવાની જરૂર નથી, પરંતુ હું કહીશ કે દુનિયામાં શું થઈ રહ્યું છે તે જાઇને પણ મોટો બોધપાઠ લેવાની જરૂર છે.
તેમણે કહ્યું કે વ્યૂહાત્મક સ્તરે, રાષ્ટીય સુરક્ષા આંતરરાષ્ટ સિસ્ટમમાં મહત્વ મેળવી રહી છે અને આનાથી એ છે કે જ્યારે રાષ્ટીય હિત સંકળાયેલા હોય છે, ત્યારે દેશો યુદ્ધમાં જતા અચકાશે નહીં. આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, “આપણા માટે માત્ર સંઘર્ષમાં જ નહીં, પરંતુ રોગચાળાના સમયમાં પણ આત્મનિર્ભર બનવું મહત્વપૂર્ણ છે જેથી નિકાસ અથવા આયાત પર નિર્ભરતા લગભગ શૂન્ય રહે.”
જ્યારે એલએસી પર તણાવ વધવાની સંભાવના હોવાનો દાવો કરતા આંતરરાષ્ટીય અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આર્મી ચીફે કહ્યું, “અમે વિવિધ આકસ્મક પરિસ્થતિઓ માટે યોજના બનાવીએ છીએ. જા પરિસ્થતિ વધુ વણસે તો શું ભારતીય સેનાનો જવાબ ૧૯૬૨ના યુદ્ધ કરતા અલગ હશે? આ પ્રશ્ન પર તેણે કહ્યું, “ચોક્કસપણે.” પ્રતિભાવ અસરકારક રહેશે અને પરિસ્થતિને અનુરૂપ હશે.”જનરલ પાંડેએ એમ પણ કહ્યું હતું કે “ભવિષ્યમાં સંઘર્ષ કેવી રીતે થશે અને કેવી રીતે કોઈ ટેક્નોલોજીનો લાભ લઈ શકે છે અને યુદ્ધની પરંપરાગત પદ્ધતિઓથી આગળ જાઈ શકે છે તે ઓળખવાની જરૂર છે”.
તેમણે કહ્યું, “અમે હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ૫જી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રોન, સર્વેલન્સ સિસ્ટમ્સ, સાયબર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે દેશમાં ઉપલબ્ધ અપાર નવીનતા અને સ્ટાર્ટ-અપ સંભવિતતાનો લાભ લેવા માંગીએ છીએ