(એ.આર.એલ),કપૂરથલા,તા.૨૫
પંજાબના પ્રખ્યાત સૂફી ગાયક સતીન્દર સરતાજ માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે. તે પંજાબના કપુરથલામાં એક શો કરવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા તેણે કોર્ટમાં હાજર થવું પડશે. સરતાજને કપુરથલાની જિલ્લા અદાલતે ૩૦ ઓક્ટોબરે સમન્સ પાઠવ્યા છે. સતીન્દર સરતાજ વિરુદ્ધ આ સમન્સ કપૂરથલાના વરિષ્ઠ વકીલ અને રમતવીર એસએસ મલ્લીની અરજી પર જારી કરવામાં આવ્યું છે. એસએસ મલ્લીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ગાયક સતીન્દર સરતાજ ૧૦ નવેમ્બરે ગુરુ નાનક સ્ટેડિયમના મેદાન પર શો કરી રહ્યો છે. શોની મોટાભાગની ટિકિટો પણ વેચાઈ ગઈ છે. આવી સ્થતિમાં સરતાજ દ્વારા સ્ટેડિયમનો ઉપયોગ વ્યવસાય તરીકે કરવામાં આવી રહ્યો છે.
મલ્લીએ અરજીમાં જણાવ્યું હતું કે તે દરરોજ સ્ટેડિયમમાં અભ્યાસ અને યોગ માટે જાય છે. સ્ટેડિયમના હોકી ગ્રાઉન્ડ પર દરરોજ અનેક ખેલાડીઓ પ્રેક્ટસ કરવા આવે છે. આ સિવાય કપૂરથલામાં અન્ય કોઈ મેદાન નથી, જેના કારણે દરરોજ પ્રેક્ટસ કરનારાઓ માટે તે મોટી સમસ્યા હશે. આ મેદાન સરકારી ભંડોળમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આવી સ્થતિમાં ૧૦ નવેમ્બરે યોજાનાર સરતાજના શોને કારણે ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો તેમની રોજીંદી પ્રેક્ટસ પણ ખોરવાઈ જશે.
આ મામલામાં સતીન્દર સરતાજની સાથે તેમની કંપની ફિરદોસ પ્રોડક્શન, પંજાબ સરકારના સેક્રેટરી, ડાયરેક્ટર સ્પોર્ટ્‌સ પંજાબ, ડીસી કપૂરથલા, કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન કપૂરથલા, ડિસ્ટ્રક્ટ સ્પોર્ટ્‌સ ઓફિસર, એસએસપી કપૂરથલા, એસપી ટ્રાફિક, સિક્યુરિટી ઈન્ચાર્જ કપૂરથલાને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
અરજીકર્તા એસએસ મલ્લીએ કહ્યું કે કપૂરથલામાં માત્ર ગુરુ નાનક સ્ટેડિયમ છે જેનું નિર્માણ સરકાર દ્વારા રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. જેમાં રમતગમતને લગતા કાર્યક્રમો અને રાજ્ય કક્ષાની રમત-ગમત સ્પર્ધાઓનું લાંબા સમયથી આયોજન કરવામાં આવે છે. નિયમો અનુસાર, જા કોઈ વ્યક્ત સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરવા માંગે છે, તો તે જન કલ્યાણ કાર્યક્રમ માટે ભાડા પર આપી શકાય છે અને કોઈ વ્યવસાયિક કાર્યક્રમ માટે નહીં.
જ્યારે પણ જિલ્લા રમત-ગમત અધિકારી જમીન આપતા અને કબડ્ડી મેચો માટે પરવાનગી આપતા ત્યારે તેઓ તેની નીચે એક લીટી લખતા હતા કે આ કાર્યક્રમ માટે કોઈપણ પ્રકારની ટિકિટ વેચવામાં આવશે નહીં. તેમ છતાં જિલ્લા રમતગમત અધિકારીએ આ કોમર્શિયલ કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી. સતીન્દર સરતાજ કોઈ કાર્યક્રમ કરવા માંગતા હોય તો ચેરિટી માટે કરો જેથી જરૂરિયાતમંદ વર્ગને લાભ મળી શકે.દરમિયાન, જિલ્લા રમતગમત અધિકારી શાશ્વત રાઝદાને કહ્યું કે તેમના દ્વારા હજુ સુધી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આ સમગ્ર કોન્સેપ્ટની ફાઈલ તૈયાર કરીને ડાયરેક્ટર સ્પોર્ટસને મોકલી દેવામાં આવી છે, ત્યાંથી પરવાનગી મળ્યા બાદ જ કંઈક કહી શકાશે. પંજાબ સરકાર દ્વારા આવા કાર્યક્રમો માટે પંજાબ સ્ટેટ સ્પોર્ટ્‌સ કાઉન્સલની રચના કરવામાં આવી છે. આ અંગે માત્ર તેની કમિટી જ વિચારે છે, જેના અધ્યક્ષ ખુદ સીએમ માન છે.
ડીસી કપૂરથલાના જણાવ્યા અનુસાર, તેમની પાસે પરવાનગી માટેની અરજી આવી હતી. જે એનઓસી માટે સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈ પરવાનગી પત્ર જારી કરવામાં આવ્યો નથી. સૂત્રોનું માનીએ તો સરતાજ શોની ૮૦ ટકા ટિકિટો વેચાઈ ગઈ છે. જ્યારે જિલ્લા વહીવટીતંત્રનો દાવો છે કે હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.