સુરત ખાતે ૦૫ મેનાં રોજ નાના ભંડારીયા ગામ સમસ્ત પરિવારનો સાતમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામનાં ભામાશા ચતુરભાઈ કાલસરીયા (શેઠ) શ્રી અંબિકા જેમ્સ તથા મુખ્ય મહેમાનમાં ગામનાં નવયુવાન સરપંચનાં પ્રતિનિધી નરેશ ત્રાપસીયાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડો.અંકિતા મુલાણી, એડવોકેટ મેહુલ બોઘરાએ આ પ્રસંગે હાજરી આપી સમસ્ત ગ્રામજનોની બહેન દીકરીઓને ગિફ્ટ આપી અંભિનદન પાઠવ્યા હતા. સુરત સ્નેહમિલન કમિટીનાં અધ્યક્ષ કાળુભાઈ હીરપરા, કમિટીનાં મેમ્બર રઘુભાઈ દેવાણી, મનસુખભાઈ ભવાણી, અપુરવભાઈ દેવાણી, અશોકભાઈ વોરા, સુરેશભાઈ અશોકભાઈ ત્રાપસીયા, યોગેશભાઈ અશોકભાઈ કીકાણી તથા તમામ સભ્યોએ નાના ભંડારીયાનાં સુરતવાસીઓને અંભિનદન આપીને આવકાર્યા હતા.