સુરતના સરથમામાં એક કરૂણ ઘટના બની છે. જેમાં પૂરઝડપે જઈ રહેલી બસે એક બાળકીને અડફેટે લેતા તે ગંભીરપણે ઘાયલ થઈ હતી. સારવાર અર્થે તને નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે સરણાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સરથાણાંમાં દાદા પૌત્રીને બસમાં મુકવા માટે આવ્યા હતા. જેમાં બે વર્ષની બાળકીને બસે કચડી નાંખતા તેનું મોત નીપજ્યુ હતું.