સુરતમાં બોરડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૧૨મો સ્નેહમિલન, ૮મો સમૂહલગ્ન સમારોહ અને બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રક્તદાન કેમ્પમાં જેમાં ૨૫૭ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ અવસરે કુમારી કેયા વિપુલભાઈ ઢોળવાવાળા અને ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ મોટા માંડવડાવાળાની રક્ત તુલા કરવામાં આવી હતી. આ સમારંભમાં ભવાનભાઈ મુળજીભાઈ બોરડ ઢોળવા અને ઘનશ્યામભાઈ મનસુખભાઈ બોરડ વાસાવડવાળા મુખ્ય યજમાન પદે હતા. રક્તદાન કેમ્પનું સંપૂર્ણ આયોજન સિવિલ ડિફેન્સ પુણા ડિવિઝનના વોર્ડન કલ્પેશભાઈ બોરડ દ્વારા કરવામાં આવ્યું હતું.