સુરતના વરેલીમાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ ૧૯ વર્ષીય પરિણીતાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજીતરફ રૂમની બારી ખુલ્લી હોવાથી સ્થાનિકોએ અંદરનું દ્રશ્ય જોઈને તેના પતિને આ અંગે જાણ કરી હતી. જોકે દરવાજા અંદરથી બંધ હોવાથી પતિને દરવાજા તોડવાની ફરજ પડી હતી. બાદમાં અંદર જોઈને જોું તો પતિનીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.
આ અંગે મૃતકના પતિએ કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા કડોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિણીતાએ અગમ્ય કારણસર અંતિમ પગલું ભરતા અનેક રહ્‌સ્ય ઘેરાયા છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.