સુરત શહેરના રસ્તાઓની હાલત અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટીના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ઉર્ફે કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને તેમની માંગણીઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. “ખાડાઓના શાસનથી પીડાતા લોકોને મુક્ત કરવા” શીર્ષકવાળા પત્રમાં કાનાણીએ લખ્યું, “આ ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને લોકો વેદના સહન કરી શકતા નથી તેવી Âસ્થતિ છે. સુરતમાં આમ પણ ખાડાઓનું રાજ હોય તેવી Âસ્થતિ છે. રસ્તા એટલા બિસ્માર બની ગયા છે કે તેના પર વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.