સાવરકુંડલાના સુરજવડી (બાઢડા) ગામે રહેતા એક યુવકને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે વિનુભાઈ કાળુભાઈ ચુડાસમા (ઉ.વ.૩૯)એ તેમના જ ગામના આસીફભાઈ રાઠોડ તથા મનસુરભાઈ બાલાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના દીકરા સાથે આસીફભાઈના
દીકરાએ બોલાચાલી, ઝઘડો કર્યો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીએ તેમના ઘર પાસે આવી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેઓ મોટર સાયકલ લઈને બજારમાં જતા હતા ત્યારે બંને આરોપીએ ગાળો બોલી જાહેરમાં મા-બહેન વિશે અશ્લીલ શબ્દો બોલ્યા હતા અને તલવાર વડે તેમને મારવા જતાં મોટર સાયકલના મોરા પર વાગી હતી. જેના કારણો મોરો તૂટી ગયો હતો.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય. એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.