સુપ્રીમ કોર્ટે બુધવારે કેએએલ એરવેઝ અને ઉદ્યોગપતિ કલાનિધિ મારન દ્વારા સ્પાઇસજેટ પાસેથી રૂ. ૧,૩૦૦ કરોડથી વધુના નુકસાનની માંગણી કરાયેલી અપીલ ફગાવી દીધી. કેએએલ એરવેઝ અને તેના માલિક કલાનિધિ મારને લાંબા સમયથી ચાલતા શેર ટ્રાન્સફર વિવાદમાં ઓછી કિંમતની એરલાઇન સ્પાઇસજેટ સામે રૂ. ૧,૩૨૩ કરોડના નુકસાનના એએએલના દાવાને ફગાવી દેવાના દિલ્હી હાઇકોર્ટના મે મહિનાના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હી હાઇકોર્ટે ૨૩ મેના રોજ કેએએલ એરવેઝના દાવાને ફગાવી દીધો હતો, આ કેસને સુનિયોજિત અને જાણી જાઈને તથ્યો છુપાવવાનો ગણાવ્યો હતો. અગાઉ, એક મધ્યસ્થી ટ્રિબ્યુનલે પણ એરલાઇન સામે કેએએલ એરવેઝના રૂ. ૧,૩૦૦ કરોડના નુકસાનના દાવાને ફગાવી દીધો હતો. મે ૨૦૨૪ માં કેએએલ એરવેઝ અને કલાનિધિ મારને જાહેરાત કરી હતી કે તેઓ સ્પાઇસજેટ અને અજય સિંહ પાસેથી ૧,૩૨૩ કરોડથી વધુનું નુકસાન માંગશે. આ તેમના દ્વારા માંગવામાં આવેલા ૩૫૩.૫૦ કરોડના બાકી લેણાં ઉપરાંત હતું.









































