ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના સોલાજ ગામે વહીવટી તંત્ર દ્વારા ગૌચર સર્વે નંબર-૧૮૩માં અંદાજે ૪૦,૪૬૮ ચો.મીટર જમીનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્જવીયસિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ અંદાજે રૂ.બે કરોડનું દબાણ દુર કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિÂગ્વજયસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં ટ્રાફિકને અવરોધરૂપ થતા દબાણો, સરકારી ગૌચરની જમીનમાં દબાણ તથા અનધિકૃત દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.