ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતા ફેંકવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટના કોરિડોરમાં ચર્ચા જગાવી હતી. જા કે, હવે મુખ્ય ન્યાયાધીશે તેને “ભૂલી ગયેલો પ્રકરણ” ગણાવ્યું છે. દરમિયાન, તેમના સાથી ન્યાયાધીશોએ આ કૃત્યને સુપ્રીમ કોર્ટનું અપમાન ગણાવ્યું છે.

સુનાવણી ચાલુ રાખતા, સીજેઅઇ  ગવઈએ આ ઘટના પર પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, “મારા વિદ્વાન ભાઈઓ (ન્યાયાધીશો) અને હું સોમવારે જે બન્યું તેનાથી ખૂબ જ આઘાત પામ્યા છીએ; અમારા માટે, આ એક ભૂલી ગયેલો પ્રકરણ છે.” મુખ્ય ન્યાયાધીશે ઘટનાને ઓછી મહત્વ આપી અને કોર્ટની કાર્યવાહી ચાલુ રાખી.

જાકે, જસ્ટીસ ઉજ્જવલ ભૂયાન સીજેઆઇના વલણ સાથે અસંમત હતા. જસ્ટીસ ભૂયાને કહ્યું, “આ અંગે મારા પોતાના વિચારો છે. તેઓ ઝ્રત્નૈં છે, અને આ કોઈ મજાક નથી.” જસ્ટીસ ભૂયને કહ્યું કે આ ઘટના સુપ્રીમ કોર્ટનું અપમાન છે.

આ દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ હુમલાને અક્ષમ્ય ગણાવ્યો. તેમણે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશ પર હુમલો અક્ષમ્ય હતો. મહેતાએ સીજેઆઇની ઉદારતાની પ્રશંસા કરી.સુનાવણી દરમિયાન, સીજેઆઇ ગવઈએ ફરી એકવાર તેમના સાથી ન્યાયાધીશની ટિપ્પણીનો ટૂંકમાં જવાબ આપ્યો, તેમના વલણને પુનરાવર્તિત કર્યું, “અમારા માટે, આ એક ભૂલી ગયેલો પ્રકરણ છે.” આ સાથે, તેમણે કોર્ટની કાર્યવાહી ચાલુ રાખી.

નોંધનીય છે કે ૬ ઓક્ટોબરના રોજ, ભારતની સુપ્રીમ કોર્ટમાં એક શરમજનક ઘટના બની હતી જ્યારે એક વકીલે સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેમને રોક્્યા અને તેમને બહાર કાઢ્યા. તે વ્યક્તિ જતા સમયે સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતો, “ભારત સનાતન ધર્મના અપમાનને સહન કરશે નહીં.”