સાવરકુંડલા મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી શાળા નંબર બે કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ સાવરકુંડલા સ્ટેશન રોડ ખાતે આવેલ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની મુલાકાત લીધી હતી અને બેંકમાં થતી વિવિધ કામગીરી વિશે માહિતી મેળવી હતી. જેમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંક સાવરકુંડલાના બ્રાન્ચ મેનેજર નિશાંક ગોસ્વામી અને ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષભાઈ વાઘેલાએ બેંકમાં અપાતી તમામ સેવાઓ વિશે વિદ્યાર્થિનીઓને માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટેની જરૂરી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન કન્યાશાળાના આચાર્ય ભારતીબેન રાઠોડ અને શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે અબ્દુલભાઈ રાઠોડ, મહેશ મકવાણા, ભરતભાઈ ખુમાણ, ચેતનભાઈ વેકરીયા વગેરે બેંક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.