દેવળા ગેઈટ સાવરકુંડલા ખાતે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં ભવ્ય સભાનું આયોજન થયુ હતું, જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ‘અબકી બાર ચારસો પાર’ ના નારા સાથે પોતાના વક્તવ્યમાં દેશ માટે, પ્રજા હિત માટે મોટા નિર્ણય લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રચંડ જન સમર્થન આપો તેવી અપીલ કરી હતી. આ સભામાં જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા અ.જા.પ્રમુખ કેશુભાઈ વાઘેલા, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકા હોદ્દેદારો, ચેરમેનો, સદસ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.