સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચનાથી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં. ૩માં આવેલા ઘનશ્યામનગર અને શ્રમજીવીનગરને જોડતા પુલનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવેલ છે. આ અંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને નગરપાલિકા સદસ્ય હંસાબેન કમલેશભાઈ રાનેરાએ રજૂઆત કરેલ કે આ પુલ ઉપરથી સ્કૂલે જવા બાળકોને એક જ રસ્તો છે. આ પુલ શરૂ થશે તો શ્રીનિવિદ્યા સ્કૂલ તથા શ્રમજીવીનગરના લોકોને જેસર રોડ ઉપર જવા માટે ઘણી સરળતા થશે. આ પુલનું કામ શરૂ થતાં આ વિસ્તારના કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી, ભરતભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ લુહાર, ચતુરભાઈ બારૈયા તેમજ ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી.