સાવરકુંડલા શહેરમાં આગામી તા.૫-૧૧-૨૪ના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં રૂ.૫૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર રિવરફ્રન્ટ, નાવલી નદીના ટેક્સી સ્ટેન્ડ વિસ્તારમાં નવી ગટર યોજના તેમજ જૂના માર્કેટ યાર્ડમાં શહેરના પ્રથમ ધારાસભ્ય ભગવાનજીબાપા કસવાળાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.આ કાર્યક્રમની તડામાર તૈયારીઓના ભાગરૂપે અમરેલી કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પંડ્‌યા, ડેપ્યુટી કલેક્ટર ધારા, મામલતદાર બારીયા અને પાલિકા ચીફ ઓફિસર બોરડ સહિતની ટીમે તમામ સ્થળોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની જાહેરસભા નવા માર્કેટિંગ યાર્ડમાં યોજાશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.