સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે શૂરવીર શ્રી રત્ના આપા જોગરાણા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ઠાકર બાપા જ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૦/૪/૨૦૨૫ અખાત્રીજના દિવસે યોજાનારા પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંજના સમયે ઠાકર બાપાની જ્યોત રોહીશાળાના ગાદીપતિ કાનજી બાપુના હસ્તે પ્રગટાવવામાં આવશે. સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા સમસ્ત જોગરાણા પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.