શ્રી નિવાસી અંધ વિદ્યાલય લોક વિદ્યામંદિર થોરડી તાલુકો સાવરકુંડલા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સરળતાથી લહિયા મંજૂરી મળી રહે તે માટે શાળામાં લહિયા કેમ્પનું આયોજન થયું હતું. આ આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર. બી . ખેરના માર્ગદર્શન હેઠળ થયું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દરેક તાલુકામાં જુદી જુદી ટીમ શાળાઓમાં જઈ દિવ્યાંગ બાળક તેમજ તેના લહિયાની ખરાઈ કરવામાં આવી હતી.જેથી દરેક શાળાને જિલ્લા સુધી બાળકને તથા તેના લહિયાને લઈને ન જવું પડે. શાળાઓ દ્વારા સરકારની આ પહેલને બિરદાવવામાં આવી હતી શ્રી લોકવિદ્યા મંદિરના ૧૯ દિવ્યાંગ બાળકોને આ કેમ્પથી લાભ મળ્યો હતો.