સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.ર જલારામ બાપા મંદિરથી ભૂવા રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું. આ વિકાસકાર્યોમાં જલારામ બાપા મંદિરથી ભૂવા રોડ સુધીનો સીસી રોડ, ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનનો સમાવેશ થાય છે. આ કાર્યોથી વિસ્તારનાં રહેવાસીઓને ઘણી સુવિધાઓ મળશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે.