સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામીણ માર્ગો બનાવવામાં લાપરવાહી સાથે નિષ્ક્રિયતા દાખવતી અમદાવાદની અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી સાવરકુંડલા તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાના કામોમાં સાવરકુંડલાથી નાનાભમોદ્રા, વીરડી – નેમીનાથના રસ્તાની કામગીરીઓ ઘણા સમયથી કરેલી ન હોય ધાર – પિયાવા, આદસંગ – ઘનશ્યામનગર રસ્તાની અધૂરી કામગીરીઓ અંગે સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો મહેશભાઈ કસવાલાને ધ્યાને આવતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ અંગે એજન્સી સામે કડક હાથે કામગીરી કરવાની સૂચના મળતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામમાં બેદરકારી સાથે અધૂરા કામો સામે કોન્ટ્રાક્ટ રદ કરી પુનઃ ટેન્ડર પ્રક્રિયા સત્વરે કરીને ગ્રામીણ માર્ગોના નવીનીકરણ તાત્કાલિક થાય તે અંગેની કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવી હતી. પેધી ગયેલી રોડ રસ્તાના કામોની એજન્સીઓ સામે ધારાસભ્ય કસવાલાએ શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરી હતી.