આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે ‘જળસંચય જન ભાગીદારી યોજના’ કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ
ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા ભાજપ અમરેલી અને કિસાન મોરચા સાવરકુંડલા દ્વારા આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી દીપકભાઈ માલાણીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા સહિતના હાજર રહ્યા હતા.