સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ૬૩ જેટલી નિરાધાર મનોરોગી બહેનો છે. આ નિરાધાર મનોરોગી બહેનો ભક્તિ બાપુની નિશ્રામાં પૂનઃ સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આજે ૧૨૦મી મનોરોગી બહેન સાજા થઈ સમાજમાં પુનઃસ્થાપિત થયા હતા. છ વર્ષ પહેલા ડાહીબેન બટુકભાઈ ઝાપડાને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી માનવ મંદિરમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમનું વજન ૪૨ કિલોને ૮૦૦ ગ્રામ હતું આજે રાજકોટથી તેમના બંને ભાભી વિજુબેન જીવનભાઈ અને ભાનુબેન હકાભાઇ માનવ મંદિરેથી તેડી ગયા છે ત્યારે તેમનું વજન ૬૫ કિલોને ૩૦૦ ગ્રામ છે. માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ જે હેતુસર આ મનોરોગી આશ્રમ શરૂ કર્યો હતો તે હેતુ આજે સેવકોના સહયોગથી ખૂબ જ સફળ થઈ રહ્યો છે તેનો બાપુએ રાજીપો પણ વ્યક્ત કર્યો હતો.