સાવરકુંડલામાં શહેર અને તાલુકાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તાલુકા સંકલન સમિતિની બેઠક નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સાવરકુંડલા શહેર અને તાલુકાના વિકાસ માટે અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જેમાં દબાણ હટાવવા, નવી બસ શરૂ કરવી, પોલીસ ચોકી, પોસ્ટ ઓફિસ, પડતર જગ્યા નગરપાલિકાને ફાળવવા સહિતની બાબતોની રજૂઆતો કરવામાં આવી હતી. આ માગણીઓના અમલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ બેઠકમાં સમિતિના સભ્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, રાજેશભાઈ નાગ્રેચા, મહેશભાઈ જેબલીયા, જયસુખભાઈ સાવલિયા, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.