સાવરકુંડલા શિવાજીનગર ખાતે શેરી નં.૧માં લગભગ ૩ વર્ષથી રોડની વચ્ચે ખાડાઓ પડેલ છે. જેની રજૂઆત અવારનવાર નગરપાલિકાને કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. આ બાબતની જાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલને થતાં સ્થાનિક લોકો, તેમની ટીમની સાથે રહીને ખાડા બુરવાનું કામ જાતે કર્યું હતું. સ્થાનિક લોકોએ તેમની ટીમની કામગીરીને બિરદાવેલ હતી.