સાવરકુંડલા એ.ટી.વી.ટી યોજના તથા મોટાભમોદ્રા ગામે વિકાસના કામો માટે કોઝવે બનાવવાની યોજનામાંથી કોઝવેના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. કોઝવેના કામો સરકારના નિયમો મુજબ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે આ બન્ને કોઝવેની નબળી ગુણવત્તાના કારણે ધારાસભ્ય મહેશ કસવાલાને અનેક ફરિયાદો મળતા આ કોઝવેની તપાસ કરવામાં આવતા આ કોઝવે નબળી ગુણવત્તાવાળા થયેલા હોવાથી ધારાસભ્ય મહેશ કસવાલાએ નબળા કોઝ-વે તોડી નવા કોઝવે બનાવવા માટે કલેકટર અને ડીડીઓને પત્ર પાઠવી રજૂઆત કરતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાયો છે.