સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે મહાશિવ પુરાણ જ્ઞાનયજ્ઞમાં ભવ્ય લોકડાયરો યોજવામાં આવેલ હતો. જેમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, ભુપતભાઈ ધાધલ તેમજ જયંતીભાઈ ભાટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ અને ભુપતભાઈ ધાધલ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. જયારે જયંતીભાઈ ભાટ દ્વારા વ્યસનને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.