તાનારીરી સંગીત વિદ્યાલયમાં એપ્રિલ ૨૦૨૪માં દ્વિતીય સત્રની પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં નાના-મોટા બાળકો અને ગૃહિણીઓએ પણ પરીક્ષા આપી હતી. બાળકોમાં પરીક્ષાનો આનંદ પણ ખુબ જોવા મળ્યો હતો. માધવ સંગીત વિદ્યાલયના બાળકોએ પણ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા શિવાનીબહેન વ્યાસ અમરેલી દ્વારા લેવામાં આવી હતી. સાથે જ તેમના પતિ અને કલાના ચાહક એવા વિપુલભાઈ વ્યાસ પ્રિન્સિપાલ-નૂતન મિડલ સ્કૂલ અમરેલી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોની સંગીત પ્રત્યેની લગન અને મહેનત જોઈને બાળકોને ખુબ પ્રોત્સાહિત પણ કર્યા હતા. વધતા જતા અભ્યાસના ભારણ વચ્ચે પણ આટલી લગન અને ઉત્સાહથી સંગીત શીખવા અને પરીક્ષા આપવા બદલ બધા વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.