સાવરકુંડલામાં દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત માતૃશ્રી ચંચળ બા વરિયાળી શરબત કેન્દ્ર એસ.ટી. ડેપો ખાતે છેલ્લા ચાર દિવસથી શરૂ થયેલ છે. જેમાં ઘણા મુસાફરો આ શરબતનો લાભ લઇ પોતાની આંતરડી ઠારી રહ્યા છે. અંદાજે ૩૦૦ થી ૪૦૦ લીટર શરબતનું દરરોજ વિતરણ થાય છે. ત્યારે આ ગરમીમાં મુસાફરો શરબત થકી ઠંડક મેળવી રહ્યા છે.