શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા શાળાના વિવિધ સોપાનો દ્વારા નવસર્જન વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ ૦૪/૦૧ને શનિવારનાં રોજ ગુરૂકુળના પટાંગણમાં ધમાકેદાર રીતે ઊજવવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા પંથકના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધભાઈ, શરદભાઈ પંડ્‌યા, જીવણભાઈ વેકરીયા, અમદાવાદથી પધારેલા નરેન્દ્રભાઈ પોપટલાલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંતોમાં ગઢપુરથી વિષ્ણુ પ્રસાદદાસજી સ્વામી, મુકુંદપ્રસાદ સ્વામી, અનિલ ભગત, સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલાના ઊર્જીત પ્રકાશ દાસજી સ્વામી, માંગરોળથી પધારેલા કોઠારી સ્વામી, પૂર્ણપ્રકાશ દાસજી સ્વામી, શાસ્ત્રી પ્રેમસ્વરૂપ દાસજી સ્વામી તેમજ સાવરકુંડલા કબીર ટેકરીના મહંત નારણદાસ બાપુ, કુંડળ પુરનાં કરશન ગિરિ બાપુ, રામાનંદ ગુરૂકુળના ઘનશ્યામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.