સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ‘પર્વ ચતુર્દશી’નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ૧૫-૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાનાર આ બે દિવસીય કાર્યક્રમમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સફળ દશ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવશે. પ્રથમ દિવસે, ૧૫ જાન્યુઆરી બુધવારે સાંજે ૬ઃ૩૦ કલાકે જે.વી. મોદી હાઈસ્કૂલ ખાતે “ત્રંબક ત્રણ બૈરીવાળો” નાટ્યનું મંચન થશે. બીજા દિવસે, ૧૬ જાન્યુઆરીએ સાંજે ૫ઃ૦૦ વાગ્યે પૂજ્ય મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમના સંયોજક પ્રણવભાઈ પંડ્‌યાના
નેતૃત્વમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આરોગ્ય મંદિરની દશ વર્ષની સેવાયાત્રાને સો વર્ષના સંકલ્પમાં પરિવર્તિત કરવાનો આ અવસર છે. આયોજકોએ સમાજના તમામ વર્ગના લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ કર્યો છે.